હમણાં જ થોડા દિવસ પહેલા હું મદુરાઈ, રામેશ્વરમ, અને ધનુષ્યકોડી જઈ આવ્યો. અજીબ જગ્યાઓ.
અહીં મેં ફોટોસ્ટોરી લખી છે. ફોટો વધું છે એટલે વાર્તા લાંબી કરતો નથી.

બેંગ્લોરથી રાત્રે બેઠો. સવારે આવ્યું મદુરાઈ મંદિર. મંદિરમાં જઈને બે કલાક એમ જ બેઠા રહેવાની મજા આવી.

મંદિર બહાર આવીને ઈડલી-સંભારનો નાસ્તો કર્યો, અને મંદિરમાં પડેલા ભભૂત, ચંદન, અને કંકુનો ચાંદલો કરીને બસ-સ્ટેશન પાછા. મદુરાઈ બસસ્ટેન્ડથી રામેશ્વર જવાની બસ મળી ગઈ. ગરમી ખુબ હતી. બસમાં હારુકી મુરાકામીની બુક વાંચ્યે રાખી. ચાર કલાક પછી રામેશ્વર આવવાનું ચાલુ થયું . મોબાઈલમાં ગૂગલ મેપ ખોલ્યો.

અહાહા ! હું ભારતના અંતિમ બિંદુ પર જઈ રહ્યો હતો ! એકદમ છેડો. જ્યાંથી શ્રીલંકા માત્ર 26 કિલોમીટર દુર છે એવી જગ્યા પર. એ જગ્યાનું નામ છે ધનુષકોડી. રામેશ્વરમ તો નાનકડું સિટી જેવું છે, હોટેલો – મંદિર – માણસો. પરંતુ રામેશ્વરમથી ત્રીસેક કિલોમીટર દુર બંને બાજુ દરિયો છે એવી જગ્યા, જ્યાં જમીન પૂરી થાય છે એ ધનુષકોડી.

રામેશ્વરમ જતી સમયે બસમાંથી આ ટ્રેનનો રસ્તો જોયો. દરિયા વચ્ચે! આ પુલ વર્લ્ડના સૌથી ખતરનાક પુલો માંથી એક ગણાય છે. યુ-ટ્યુબ પર આનો વિડીયો પણ છે.

અહાહા ! દરિયાકિનારે…હમ અકેલે…ઘર બનાયેંગે…ઔર ઉસ ઘર કે બહાર લીખ દેંગે “સબ માયા હે…સબ માયા હે !”

મંદિર

રામેશ્વરમનો દરિયો જેના કિનારે મંદિર આવેલું છે. આ શિવલિંગ બાર જ્યોતિર્લીંગ માંથી એક ગણાય છે.

હાહા…

દરિયા કિનારે એક મોટી આગ પેટાવીને ભસ્મ બનાવવામાં આવી રહી હતી. પ્રસાદીની ભસ્મ

મોડી રાત સુધી દરિયાકિનારે બેસીને પછી ઉપડ્યો હોટેલ તરફ.
રામેશ્વરમમાં જ રાત રોકાઈને બીજે દિવસે વહેલી સવારે હું ઉપડ્યો ધનુષકોટી તરફ. એક એવી જગ્યા જે જીવનભર ભૂલી ન શકાય.
ધનુષકોડીને લોકો Abandoned Town કહે છે. ભૂતિયું શહેર પણ કહે છે. આ શહેર વર્ષ 1964 માં રામેશ્વર પર જે સુનામી આવ્યો એમાં તારાજ તજી ગયું. કશું જ બચ્યું નહી.
1964 પછી છેલ્લા ત્રીસ વર્ષ સુધી કોઈ માણસ દરિયા નજીક જવાનું ખાસ સાહસ પણ કરતુ નહી. થોડા વર્ષોથી જ સરકારે રામેશ્વરમથી ધનુષકોડી જવાનો રસ્તો બનાવ્યો.

બંને બાજુ દરિયાની રેતી વચ્ચે રસ્તો બનાવવામાં આવ્યો છે. રસ્તાની બંને બાજુ પણ દરિયો છે. અજીબ હતું !

ધનુષ્યકોડી જતી સમયે રસ્તાની જમણી બાજુ આવે એ છે : હિન્દ મહાસાગર (જેમાં 1964 માં સુનામી આવેલો અને ૧૦૦૦ માણસો ભરેલું ગામ આખું તારાજ થયેલું. ડૂબી ગયેલું )

ધનુષ્યકોડીના દરિયાના છેવાડે જતા પહેલા રસ્તામાં આવતા 1964માં તારાજ થયેલા ગામના વધેલા મકાન, જેને કોઈએ સ્પર્શ પણ નથી કર્યો.

અરે રે…

આ ભૂતિયા મકાનોમાં આજકાલ અમુક માછીમારો રહે છે જેમની પોસે શહેરમાં મકાનો ન હોય એવા…પણ હા…દિવસે જ. રાત્રે અહિયાં કોઈ હોતું નથી. કહે છે કે જુના માણસો જે મરી ગયેલા એ ભૂત થાય છે. વેલ…એક હજારથી વધુ માણસો જો ભૂત થઈને આવ્યા હોય તો શું થાય એ કલ્પના કરો 😉

ધનુષ્યકોડી જતી સમયે રસ્તાની ડાબી બાજુ આવે છે: બંગાળનો ઉપસાગર. એકદમ શાંત. ચોખ્ખો. રસ્તાની એક બાજુ ભયાનક દરિયો અને બીજી બાજુ સરોવર જેવો શાંત દરિયો. જ્યાં રસ્તો પૂરો થાય ત્યાં બંને દરિયા ભેગા થઇ જાય છે. જમીન પૂરી થઇ જાય છે.

ડાબે: બંગાળનો ઉપસાગર

જમણે : હિન્દ મહાસાગર

આ સ્પેશિયલ ઓટો કરીને ગયેલો. ડ્રાઈવર અહીં જ જન્મીને મોટો થયેલો, એટલે એણે ઘણી અજીબ-અજીબ વાતો કરેલી આ સ્થળ વિષે

…અને આ જગ્યા…જ્યાં ભારતની ધરતીનો છેડો આવ્યો.

આ બે વર્ષ ચાલેલી મારી પ્રિય ચપ્પલને આ ધરતીના છેડે મુકીને ખુલ્લા પગે રામેશ્વરમ પાછું જવાનું નક્કી કર્યું.

જોત-જોતામાં ચપ્પલ મુકીને થોડો દૂર ચાલુ ત્યાંતો દરીયાલાલે ખેંચી લીધી. ! દરિયાના પ્રદુષણમાં હું ભાગીદાર ન બનું એટલે ચપ્પલને ગરીબને આપી દેવાનું વિચારીને દરિયામાં ગયો, પણ દરિયાલાલ કશું સાચવે નહી.

દૂર અંદર જઈને ચપ્પલ પાછી કિનારે આવી ! દરિયો કહે આવો કચરો અમને ના પોસાય. તમે રાખો 😉

છેવટે કોઈ ગરીબને મળી જાય એ રીતે દરિયાથી દૂર ચપ્પલ સાફ કરીને મૂકી દીધી.
…પછી દરિયામાં બે કલાક નાહ્યો ! ભરપુર. એકદમ ચોખ્ખા જેવા પાણીમાં. કિનારે બેગનું ધ્યાન રાખતા-રાખતા.

બંગાળના ઉપસાગરમાં ચાલતા-ચાલતા
રીક્ષા લઈને પાછા જ્યારે રામેશ્વરમ બાજુ જવાનું હતું ત્યારે રસ્તામાં આ ભૂતિયા શહેરમાં રીક્ષા ઉભી રહી. બધા જ મકાનો, ચર્ચ, ગામડું ખુલ્લા પગે, બળતી રેતીમાં ધ્યાનથી જોયા. ખુબ અજીબ હતું બધું. અહિયાં પહેલા કોઈ જીવતું માણસ રહેતું હતું, અને એક સવારે આખો દરિયો તેમને માથે ફરી વળેલો.

ચર્ચ !

દરિયાઈ જીવોનું મકાન ! હવે ધરતી પર છે.

પેલું દેખાય તે રામેશ્વરમ !

She wanted to have a click !

મદુરાઈ તરફ રીટર્ન ટ્રેનમાં ! કારણકે મારે પેલા ભયાનક પુલ પરથી પસાર થવું હતું અને ટ્રેનનો રોમાંચ માણવો હતો.

ટ્રેન માંથી !

એ આવી ગયા પુલ ઉપર !
બસ…પછી તો મોબાઈલમાં પણ બેટરી ન હતી. એટલે રાત્રે મદુરાઇ પહોંચ્યા. ટ્રેનમાં પુસ્તક વાચવાની ખુબ મોજ પડી. એક નેવીનો માણસ મળી ગયેલો. એને સાંભળ્યા કર્યું. અને મદુરાઈમાં જમીને રાત્રે બેંગ્લોરની બસ લઇ લીધી. સવારે સીધા બેડમાં 😉
એક છેલ્લી વાત: અલ્યા ભાઈ…ધરતીના છેડે આ રામેશ્વરમમાં પણ આપણા ગુજરાતી ભાઈઓ એ એક એકદમ સારી એવી ભોજનાલય અને રહેવાની સગવડ વાળી ટ્રસ્ટ બનાવી છે. પ્રાઉડ થયું. ત્યાં બે ટાઈમ થેપલા પણ ખાધા. કોઈ રામેશ્વરમ જાઓ તો ત્યાં રોકાજો. મજા આવશે.
Superb
LikeLiked by 1 person
Tmari trvelling journey vishe read krine ek anokho anand mle
Keep it up
LikeLiked by 1 person
Amazing I feel like I travel
LikeLiked by 1 person
મારે પણ મુલાકાત લેવાની ઇચ્છા થઇ આવી
LikeLiked by 1 person
Best one thanks….
LikeLiked by 1 person
ભૈ , આપણને તો ફોટામાંથી ફૂટતી વાર્તા બૌ ગમે …બૌ ગમે 😇
LikeLiked by 1 person
હવે રામેંશ્વરમ ફરી જોવું જ રહ્યું . હવે તો આદરણીય વૈજ્ઞાનીક અબદુલ કલામ સાહેબ નાં આ વતન માં તેમનું સ્મારક અને સંગ્રહાલય ખુલ્લુ મુકાઈ ચુકયું છે તે સ્થળ ની પણ મુલાકાત લેવી છે . આપને અભીનંદન . ધન્યવાદ .
LikeLiked by 1 person
Khubaj saras mahiti ane phota pan.Mahiti vanchine mara agauna Rameshwarna banne prawasni yado taji thai. Paheliwar tsunami na bija varshe 1965 ma gayo hovathi Dhanushkoti na jai shakayu. Bannewar train na atyant romanchkari prawasno Anubhav karva malyo. Bharat ni dharti chhek chhele jya Samudrama samai jay chhe tya ubha rahiye tyare atyant dhanyata anubhavay chhe.
LikeLike
મોજ આવી ..
LikeLike
અગવડો ને ભોગવવાની પ્રથા એટલે યાત્રા!!!
LikeLiked by 1 person
ખુબ સરસ.. તમે લખેલું કે લોકો ને ઈર્ષા થાય એવું જીવન જીવવું છે.. મને તો અત્યારે જ ઈર્ષા થાય છે…..હાહાહા
LikeLike