બીજું લીસ્ટ: છેલ્લા બાર-પંદર દિવસમાં મેં વાંચેલા પુસ્તકો અને રિવ્યુઝ… માણો:
૧) A thing beyond forever: ખુબ સારી બુક છે. વાપીના રેલ્વે સ્ટેશન પરથી લીધેલી. આમ તો હું આજકાલ લવ સ્ટોરીઝ ઓછી વાંચું છું છતાં આ બુકના બંગાળી લેખક પર ભરોસો રાખીને લીધી. (બંગાળી લેખકો-સર્જકો ખુબ વાંચે છે, પ્લસ બધા ડર્યા વિના સાચું લખે છે.) બુકમાં ક્યાંક ટિપિકલ લેખક પણું પણ દેખાય છે, પણ પહેલી બુક લખનારા લેખકને એ માટે માફ કરવો જ પડે. વાંચજો. My favorite sentence: He suffers from the Piles. And first time he realized it he thought he was menstruating from his ass!
૨) સમુદ્રાન્તિકે: લેખક? ધ્રુવ ભટ્ટ! રોકસ્ટાર. હું તો માનું છું કે તમને જયારે ગુમાન ચડી જાય કે તમે ખુબ મોટા લેખક છો કે ખુબ સારું લખો છો ત્યારે આ કુદરતના ખોળે રખડીને પોતાની અનુભૂતિને થોડા શબ્દોમાં તમને જીવાડતાં, બધી સફળતા છતાં ડાઉન ટુ અર્થ અને વિસ્મય ભરેલી આંખો ધરાવતા બાળક જેવા આ મહાન જીવને વાંચી લેવો. મેં તો ધ્રુવ ભટ્ટ સાથે ક્યારેય વાત નથી કરી પરંતુ એના શબ્દોના સાક્ષાત્કાર પછી એમ કહી શકું કે આ દાદાનું પર્સનલ જીવન જાણશો તો તમારો જીવ બળશે! આજના યુવાન લેખકો અને ધ્રુવ દાદામાં ફરક એટલો છે કે જે સમયે એ મેઘાણીની જેમ રખડી જાણીને, દરેક પળને નિચોવીને જીવ્યા પછી લખે છે… તે સમયે બીજા બધા લેખક થોડી લાઈક્સ વધુ આવે એ માટે છેલ્લી પોસ્ટને બેઠા-બેઠા એડિટ કરતા હોય છે. અહોહો… સૌથી મોટી ખુશી તો ત્યારે થઇ જયારે આ નાદાન પરિંદાને એના જેવો જ પ્રમાણિક પબ્લીશર Chetan Sangani મળી ગયો. ચેતનભાઈને ફોન કરીને મેં ધ્રુવ ભટ્ટની આવનારી બુક ‘તિમિરપંથી’ મગાવી ત્યારે ખબર પડી કે હું તો ધ્રુવદાદા નામના દરિયાના કિનારે ઉભા રહીને એની વિશાળતાની વાહ-વાહ કરતો હતો…આનું પેટાળ તો જોયું જ નથી.
એક અપીલ: ખાસ યુવાનો ધ્રુવ-ભટ્ટના બધા જ પુસ્તકો વાંચે. આમેન…
૩) માણસાઈના દીવા: ઝવેરચંદ મેઘાણીની કૃતિ! “શું મેઘાણી કાઠીયાવાડ માટે જ લખે? બાકીના ગુજરાતની ભૂમિ કઈ વાંઝણી છે?” મેઘાણીએ આ સવાલનો જવાબ આપ્યો છે બીજી ધરતી ખૂંદીને! મહારાજ-ચોર-લુંટારા-ખૂનીઓ અને ખમીરવંતી માનવતાના ઉદાહરણો. સાચા પ્રસંગો. એવા દીવાઓ ની વાત જે ખાલી દીવા નથી…દીવાદાંડી છે.
૪) The Lady with the dog and other stories: Anton Chekhovની શોર્ટ-સ્ટોરીઝ. હજુ થોડી સ્ટોરીઝ બાકી છે વાંચવાની. ચેકોવ અને એના પુસ્તકો વિષે તો ગુગલ જ કરી લેજો. વન્ડરફુલ વર્ક.
૫) Atlas Shrugged: Ayn Randની આ બુક સૌ પુસ્તક-રસિયાને ખબર જ હશે, ખુબ ઓછાએ વાંચી હશે. ૧૦૭૦ પેજની આ મહાન- બ્રેધ-ટેકિંગ- અને ઓબ્જેક્ટીવિઝ્મની બેતાજ બાદશાહ એવી બુક. મારી ઓલ-ટાઈમ ફેવરીટમાં આવી જશે આ પુસ્તક! આ બુક પર આખો લેખ લખીશ. એક વિક પછી.
લેખક ક્યારેય મરતો નથી હોતો…સાલો એકાદ-બે મહાન સર્જન કરીને વર્ષો સુધી શબ્દોના વિશ્વ થકી હજારો વાંચકોની દિમાગની કોશિકાઓ અને નસ-નસમાં ઘૂસીને દ્રશ્યો-પાત્રો-અને વિચારો બનીને જીવી લેતો હોય છે.
મારો અને તમારો ઈશ્વર-અલ્લાહ આપણને બસ એક સામર્થ્ય આપે: ઈમેજીનેશન નું!
હા…ખુબ મોટી તાકાત છે એ!
“કર્ણલોક” પુરી થાય પછી અકુપાર વાંચવાની છે.
LikeLike
મેં અકુપાર વાંચી છે અને સાચે તેમાં ખૂબ સુંદર રીતે ગીર અને સોરઠી સંસ્ક્રુતિને લેખકે વર્ણવ્યા છે. Must read novel..!! 🙂
LikeLike
Thanks a lot for writing this kind of blog .At least readers like me (deep respect for literature still nothing read much and very less knowledge about English and Gujarati literature) get directions for book selection based on reviews. I’ll surely try to read such books in future.
LikeLike